🚨 હાઈવે પર માનવતાની મિસાલ: 2,000 ફૂડ પેકેટ, 1,000 કેળા અને પાણીની બોટલોનું વિતરણ
વલસાડ જિલ્લામાં સતત ભારે વરસાદ અને દમણગંગા નદીના વધતા જળસ્તરને કારણે NH-48 પર સવારે જ ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. હજારો મુસાફરો અને વાહનચાલકો કલાકો સુધી ભૂખ્યા-તરસ્યા હાઈવે પર ફસાઈ ગયા હતા.
પરિસ્થિતિની જાણ થતાં જ સાઈનાથ રેસ્ટોરન્ટ (મામુ ચા) અને નમન ફાઉન્ડેશનના અધ્યક્ષ પોતાની ટીમ સાથે તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા. રેસ્ટોરન્ટમાં રિનોવેશનના કારણે હોટલ બંધ હોવા છતાં ઈમરજન્સી સ્થિતિમાં તરત જ ભોજન તૈયાર કરાવવામાં આવ્યું.
ટીમે દમણગંગા નદીથી લઈને બલીઠા સુધીના NH-48 પર વાહન-વાહન સુધી પહોંચી અંદાજે 2,000 ફૂડ પેકેટ, 1,000 કેળા તેમજ પીવાના પાણીની બોટલોનું વિતરણ કરી ટ્રાફિકમાં ફસાયેલા મુસાફરોને મોટી રાહત પહોંચાડી.
આ સેવાકાર્યમાં અન્ય સેવાભાવી લોકો પણ જોડાયા અને સંકટની આ ઘડીએ માનવતા આજે પણ જીવંત છે તે સાબિત કરી બતાવ્યું.
📍 વધુ સ્થાનિક અને ઝડપી અપડેટ માટે Follow કરો @vapi_update
#VapiUpdate #Val
Vapi, Valsad | Jul 29, 2026