લુણાવાડા-સંતરામપુર હાઇવે પર ટેન્કર-કાર વચ્ચે ભયાનક અકસ્માત:દાહોદના માતા-પુત્ર અને દાદીના મોત, ટેન્કર ચાલક ફરાર
મહીસાગર જિલ્લામાં આજે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. લુણાવાડા-સંતરામપુર હાઇવે પર હરિગરના મુવાડા ગામ નજીક દૂધના ટેન્કર અને કાર વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કારમાં સવાર એક જ પરિવારના ત્રણ લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા. મૃતકો દાહોદ જિલ્લાના ફતેપુરાના તળાવ ફળિયુંના રહેવાસી વતની છે. મૃતકોમાં કાર ચાલક હાર્દિકભાઈ પ્રશાંતભાઈ પ્રજાપતિ, તેની પુષ્પાબેન પ્રશાંતભાઈ પ્રજાપતિ અને તેની દાદી સવિતાબેન કાળુભાઈ પ્રજાપતિનો સમાવેશ થાય છે.
મળતી માહિતી મુજબ, લુણાવાડા તરફથી દૂધનું ટેન્કર સરસણ સિત કેન્દ્ર તરફ જઈ રહ્યું હતું. દરમિયાન સંતરામપુર તરફથી લુણાવાડા તરફ આવી રહેલી કાર સાથે હરિગરના મુવાડા ગામ નજીક ટેન્કરની અથડામણ થઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને કારમાં સવાર ત્રણેય લ�
Dohad, Dahod | Aug 16, 2026