હાલોલ: યાત્રાધામ પાવાગઢ મંદિર પરિસરમાં 80મા સ્વાતંત્રતા દિવસની ઉત્સાહભેર ઉજવણી કરાઈ
યાત્રાધામ પાવાગઢ ખાતે આજે શનિવારના રોજ 80મા સ્વાતંત્ર્ય દિવસની દેશભક્તિભેર ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ પાવાગઢ પર્વત પર વરસાદી માહોલ જોવા મળ્યો હોવા છતાં ભક્તો અને યાત્રિકોના ઉત્સાહમાં કોઈ ઘટાડો જોવા મળ્યો નહોતો. સમગ્ર મહાકાળી મંદિર પરિસર દેશભક્તિના રંગે રંગાયેલું જોવા મળ્યું હતું