ખંભાત: ખંભાત શહેર અને તાલુકામાં ભક્તિસભર માહોલમાં દશામાંની મૂર્તિઓની વિધિવત સ્થાપના
Khambhat, Anand | Aug 12, 2026 ખંભાત શહેરના લાલ દરવાજા, મોચીવાડ અને કતકપૂર સહિતના વિવિધ વિસ્તારોમાં દશામાની મૂર્તિઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.માત્ર શહેરમાં જ નહીં, પરંતુ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઘર-ઘર અને ફળિયાઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.પંથકના જુદા-જુદા વિસ્તારોમાંથી શ્રદ્ધાળુઓ દશામાની મૂર્તિઓને વાજતે-ગાજતે પોતાના નિવાસસ્થાને અને ફળિયાઓમાં લઈને આવ્યા હતા. શાસ્ત્રોક્ત વિધિ અને પૂજા-અર્ચના સાથે મૂર્તિઓની સ્થાપના કરાઈ હતી.