શહેરા: નાંદરવા ગામના સરપંચ અરવિંદભાઈ પટેલે વીજળી પડવાની ઘટના અંગે માહિતી આપી
નાંદરવા ગામના સરપંચ અરવિંદભાઈ પટેલે વીજળી પડવાની ઘટના અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે ખેતરમાં વીજળી પડવાની ઘટના બન્યાની જાણ થતાં અમો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. સૌપ્રથમ ૧૦૮ મારફતે ઈજાગ્રસ્ત મહિલાઓને સારવાર માટે ખસેડાઈ હતી. ત્યારબાદ ઘટનાની જાણ તલાટીને કરી હતી અને તલાટી એ પણ સ્થળ પર પહોંચી વીજળી પડવાની ઘટનામાં મહિલાના પરિવારને સહાય મળે તે માટે જરૂરી કાગળો કરી તાલુકા પંચાયત કચેરીએ રિપોર્ટ મોકલી આપ્યો હતો