ધંધુકા: પૂરગ્રસ્ત વિસ્તારોમાં અમદાવાદ ગ્રામ્ય આરોગ્ય વિભાગની સઘન કામગીરી: 13.41 લાખથી વધુ લોકોનું આરોગ્ય સર્વેલન્સ
*પૂરગ્રસ્ત વિસ્તારોમાં અમદાવાદ ગ્રામ્ય આરોગ્ય વિભાગની સઘન કામગીરી: 13.41 લાખથી વધુ લોકોનું આરોગ્ય સર્વેલન્સ* અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં ચોમાસા દરમિયાન સર્જાયેલી પૂર જેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી જિલ્લા આરોગ્ય શાખા દ્વારા તા. 23 જુલાઈથી 2 ઓગસ્ટ, 2026 દરમિયાન અસરગ્રસ્ત વિસ્તારોમાં સઘન આરોગ્ય સર્વેલન્સ, રોગચાળો નિવારણ અને જનજાગૃતિની વ્યાપક કામગીરી હાથ ધરવામાં આવી હતી. જિલ્લાના કુલ 469 ગામોમાંથી 10 અસરગ્રસ્ત ગામોના 541 પરિવારો સુધી આરોગ્ય ટીમો પહોં