ગોધરા: આઝાદી પર્વની પૂર્વસંધ્યાએ ગોધરા શહેરને હરિયાળું બનાવવા એક ગૌધરા શ્રેષ્ઠ ગોધરા દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યુ
આઝાદી પર્વની પૂર્વ સંધ્યાએ ગોધરા નગરને હરિયાળું બનાવવાના હેતુથી 'એક ગોધરા શ્રેષ્ઠ ગોધરા' સંસ્થા દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સંસ્થાના અધ્યક્ષ આશિત ભટ્ટે ભારતીય સંસ્કૃતિમાં પર્યાવરણ અને વૃક્ષોના મહત્ત્વ વિશે જણાવી લોકોને વધુમાં વધુ વૃક્ષો વાવવા અને તેમનું જતન કરવાની અપીલ કરી હતી. આ અપીલના પ્રતિસાદરૂપે અંકુર સ્કૂલ અને યોગેશ્વર સોસાયટી પાસે લીમડો તથા આસોપાલવ જેવાં સાત વૃક્ષો વાવીને ટ્રી ગાર્ડ લગાવવામાં આવ્યા હતા. આ વૃક્ષોને દત